Monday, November 23, 2020

રશ્મિરથી – અન્યાયનો અંધકાર, પૌરુષનો પ્રકાશ

 


મહાભારત – માનવમનનાં તમામ પાસાઓને આવરી લેતું મહાકાવ્ય. સંવેદનોનાં સાતેય મેઘધનુષી રંગો છે એમાં. મનોવિજ્ઞાનથી માંડીને મેનેજમેંટ સુધી દરેક ક્ષેત્રે આજે પણ પ્રાસંગિક ગણાતાં કેસ સ્ટડીઝની ખાણ છે મહાભારત. એટલે જ કહેવાયું છે કે જે મહાભારતમાં છે એ બધે જ છે અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. કોઈ એક જ ઘટનાને અલગઅલગ પાત્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો એ દરેક પાત્રની વાત સાચી લાગે એવું અદ્વિતીય કથાનક. વાર્તા કે વિષયવસ્તુની વાત કરીએ તો એ તો ભારતીય સમાજના collective consciousness માં એટલું વ્યાપ્ત છે કે કોઈ ટાબરિયાને પણ ખબર હોય જ.

પાંડવ-કૌરવ યુદ્ધને મોટેભાગે પાંડવોના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવવામાં આવ્યું હોવાથી એ જ સાચું લાગે છે પણ જો એક વાર એને દુર્યોધન કે કર્ણની નજરે તપાસીએ તો? ઇતિહાસ હમેશા વિજેતાની વિચારધારા પ્રમાણે ઘડાતો હોય છે. વિશ્વયુદ્ધમાં જો જર્મની જીત્યું હોત તો કદાચ હિટલર હીરો ગણાતો હોત! સાહિત્યકાર હારેલાં કે હાંસિયામાં ધકેલાયેલાં પાત્રની નજરે દ્રશ્ય દેખાડી શકે છે.  પછી એ સંસ્કૃત શબ્દર્ષિ ભાસ નું ઉરુભંગમ હોય કે પછી હિન્દીના પ્રતિષ્ઠિત કવિ રામધારીસિંહ દિનકર નું 1942 માં પ્રકાશિત ખંડકાવ્ય રશ્મિરથી હોય.


અસલમા જ્યેષ્ઠ કુંતીપુત્ર પણ (હિન્દી ફિલ્મોમાં હોય એમ) અવૈધ સંતાન તરીકેના કલંક સાથે જન્મેલ, દાસીપુત્ર તરીકે ઉછરેલ, દાનેશ્વરીઓમાં સૂર્ય સમાન, યુદ્ધમાં આખા પાંડવપક્ષનાં દાંત ખાંટા કરનાર મહાપ્રતાપી કર્ણ. આજની રીતે કહીએ તો ‘RIGHT MAN IN THE WRONG PARTY’.

   પોતે જન્મથી લઈને મૃત્યુ સુધી અનેક પક્ષપાત, છળકપટ અને તિરસ્કારનો ભોગ બનેલ છે એવું માનનાર છતાં દીનહીન ન બનનાર કર્ણને કેન્દ્રસ્થાને મૂકી રચાયેલ અદ્ભુત હિન્દી કાવ્ય એટલે રશ્મિરથી’. મહાભારતનાં કેટલાક પ્રસંગો પાસે દિનકર સાહેબનાં શબ્દો આપણી આંગળી પકડીને લઈ જાય છે, ત્યાં જઈએ અને મૂળ કથાનકને અનોખી રીતે જોવાનો પ્રયાસ કરીએ.



દ્રશ્ય – દ્રૌપદી સ્વયંવરનું. ભિન્નભિન્ન પ્રદેશોથી આવેલાં રાજવંશીઓ પોતાનું કૌશલ્ય દેખાડી દ્રૌપડીને જીતવા ઉત્સુક હતાં ત્યારે કર્ણના ધનુષની ટંકારથી સભા સ્તબ્ધ બને છે. અર્જુનનો મજબૂત પ્રતિસ્પર્ધી ફલક પર ઊભરી રહ્યો છે એ જોઈ કૃપાચાર્ય અર્જુનને ચૂપ રહેવાનો ઈશારો કરી કર્ણને જાતિ પૂછે છે અને કર્ણની છાતીની ડાબી બાજુએ શૂળ ભોંકાય છે:- જાતિ! રાજકુમાર હોય તો જ અર્જુન સામે લડી શકે એવી દલીલના જવાબમાં દુર્યોધન કુશળ રાજનીતિ રમે છે અને કર્ણને અંગદેશનો રાજા બનાવે છે. દુર્યોધનનાં શબ્દો:-

कर्ण हतप्रभ हुआ तनिक, मन-ही-मन कुछ भरमाया,

सह न सका अन्याय, सुयोधन बढ़कर आगे आया।

बोला-' बड़ा पाप है करना, इस प्रकार, अपमान,

उस नर का जो दीप रहा हो सचमुच, सूर्य समान।

 

'मूल जानना बड़ा कठिन है नदियों का, वीरों का,

धनुष छोड़ कर और गोत्र क्या होता रणधीरों का?

पाते हैं सम्मान तपोबल से भूतल पर शूर,

'जाति-जाति' का शोर मचाते केवल कायर क्रूर।

'करना क्या अपमान ठीक है इस अनमोल रतन का,

मानवता की इस विभूति का, धरती के इस धन का।

बिना राज्य यदि नहीं वीरता का इसको अधिकार,

तो मेरी यह खुली घोषणा सुने सकल संसार।

 

'अंगदेश का मुकुट कर्ण के मस्तक पर धरता हूँ।

एक राज्य इस महावीर के हित अर्पित करता हूँ।'

रखा कर्ण के सिर पर उसने अपना मुकुट उतार,

गूँजा रंगभूमि में दुर्योधन का जय-जयकार।

ભારતીય સમાજમાં સદીઓથી વ્યાપ્ત જાતિભેદને લીધે કરોડો કર્ણો અન્યાયનો ભોગ બનતાં આવ્યાં છે. કોઈ માણસ પોતાનું કૂળ, ગોત્ર, લિંગ, જાતિ, ધર્મ, પ્રદેશ કે ઈવન મા-બાપ પણ પોતાની રીતે પસંદ કરી શકતો નથી ત્યારે આ બધી બાબતોથી ગૌરવ કેવું અને શરમ કેવી! જન્મ કરતાં કર્મ જ માણસને મહાન બનાવે છે. રશ્મિરથી નો અર્થ થાય સૂર્યના કિરણો પર સવાર અને સૂર્યના કિરણો ક્યારેય ભેદભાવ રાખતા નથી. ઇન ફેક્ટ, પ્રકૃતિનું કોઈ જ તત્વ પક્ષપાતી નથી.

કર્ણના જન્મનું જખમ એને પરશુરામના શાપ સુધી લઈ જાય છે. અણીના સમયે વિદ્યા ભૂલી જવાના શાપનો પ્રસંગ કવિ બીજા સર્ગમાં અદભૂત રીતે વર્ણવે છે.

જો કે, આ મહાકાવ્યનો પ્રાણ તો ત્રીજો સર્ગ છે કે જ્યાં કૌરવસભામાં શ્રીકૃષ્ણ negotiation માટે આવે છે અને ઘમંડી દુર્યોધન પાંચ ગામ પણ આપવા તૈયાર નથી. કૃષ્ણને બંદી બનાવવાની કૂચેષ્ટાથી ક્રોધિત થઈને પ્રભુ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરે છે. વિશ્વરૂપદર્શનના એ દ્રશ્યમાં કવિનો ભાષાવૈભવ સોળે કળાએ ખીલી ઊઠે છે:- 

मैत्री की राह बताने को

सबको सुमार्ग पर लाने को

दुर्योधन को समझाने को

भीषण विध्वंस बचाने को

भगवान् हस्तिनापुर आये

पांडव का संदेशा लाये। 

 

'दो न्याय अगर तो आधा दो

पर, इसमें भी यदि बाधा हो

तो दे दो केवल पाँच ग्राम

रक्खो अपनी धरती तमाम। 

हम वहीं खुशी से खायेंगे

परिजन पर असि न उठायेंगे! 

 

दुर्योधन वह भी दे ना सका

आशिष समाज की ले न सका

उलटे, हरि को बाँधने चला

जो था असाध्य, साधने चला। 

जब नाश मनुज पर छाता है

पहले विवेक मर जाता है। 

 

हरि ने भीषण हुंकार किया

अपना स्वरूप-विस्तार किया

डगमग-डगमग दिग्गज डोले

भगवान् कुपित होकर बोले- 

'जंजीर बढ़ा कर साध मुझे

हाँ, हाँ दुर्योधन! बाँध मुझे। 

 

यह देख, गगन मुझमें लय है

यह देख, पवन मुझमें लय है

मुझमें विलीन झंकार सकल

मुझमें लय है संसार सकल। 

अमरत्व फूलता है मुझमें

संहार झूलता है मुझमें। 

 

'उदयाचल मेरा दीप्त भाल

भूमंडल वक्षस्थल विशाल

भुज परिधि-बन्ध को घेरे हैं

मैनाक-मेरु पग मेरे हैं। 

दिपते जो ग्रह नक्षत्र निकर

सब हैं मेरे मुख के अन्दर। 

 

'दृग हों तो दृश्य अकाण्ड देख

मुझमें सारा ब्रह्माण्ड देख

चर-अचर जीव, जग, क्षर-अक्षर

नश्वर मनुष्य सुरजाति अमर। 

शत कोटि सूर्य, शत कोटि चन्द्र

शत कोटि सरित, सर, सिन्धु मन्द्र।

 

'शत कोटि विष्णु, ब्रह्मा, महेश

शत कोटि विष्णु जलपति, धनेश

शत कोटि रुद्र, शत कोटि काल

शत कोटि दण्डधर लोकपाल। 

जञ्जीर बढ़ाकर साध इन्हें

हाँ-हाँ दुर्योधन! बाँध इन्हें। 

 

'भूलोक, अतल, पाताल देख

गत और अनागत काल देख

यह देख जगत का आदि-सृजन

यह देख, महाभारत का रण

मृतकों से पटी हुई भू है

पहचान, कहाँ इसमें तू है। 

 

'अम्बर में कुन्तल-जाल देख

पद के नीचे पाताल देख

मुट्ठी में तीनों काल देख

मेरा स्वरूप विकराल देख। 

सब जन्म मुझी से पाते हैं

फिर लौट मुझी में आते हैं। 

 

'जिह्वा से कढ़ती ज्वाल सघन

साँसों में पाता जन्म पवन

पड़ जाती मेरी दृष्टि जिधर

हँसने लगती है सृष्टि उधर! 

मैं जभी मूँदता हूँ लोचन

छा जाता चारों ओर मरण। 

 

 

'बाँधने मुझे तो आया है

जंजीर बड़ी क्या लाया है

यदि मुझे बाँधना चाहे मन

पहले तो बाँध अनन्त गगन। 

सूने को साध न सकता है

वह मुझे बाँध कब सकता है

 

'हित-वचन नहीं तूने माना

मैत्री का मूल्य न पहचाना

तो ले, मैं भी अब जाता हूँ

अन्तिम संकल्प सुनाता हूँ। 

याचना नहीं, अब रण होगा

जीवन-जय या कि मरण होगा। 

 

'टकरायेंगे नक्षत्र-निकर

बरसेगी भू पर वह्नि प्रखर

फण शेषनाग का डोलेगा

विकराल काल मुँह खोलेगा। 

दुर्योधन! रण ऐसा होगा। 

फिर कभी नहीं जैसा होगा। 

 

'भाई पर भाई टूटेंगे

विष-बाण बूँद-से छूटेंगे

वायस-श्रृगाल सुख लूटेंगे

सौभाग्य मनुज के फूटेंगे। 

आखिर तू भूशायी होगा

हिंसा का पर, दायी होगा।

 

थी सभा सन्न, सब लोग डरे

चुप थे या थे बेहोश पड़े। 

केवल दो नर ना अघाते थे

धृतराष्ट्र-विदुर सुख पाते थे। 

कर जोड़ खड़े प्रमुदित, निर्भय

दोनों पुकारते थे 'जय-जय'!

 

આહાહા...!!! એવું જબબરજસ્ત વર્ણન... જાણે કવિતાના આકાશમાં ભાષાસૌંદર્ય પૂનમના ચંદ્રની જેમ ખીલી ઉઠ્યું હોય..!!!

ડિપ્લોમસીના બેતાજ બાદશાહ શ્રીકૃષ્ણ કર્ણને સમજાવે છે કે જો એ પાંડવપક્ષે આવી જાય તો આખું યુદ્ધ જ ટળી જાય અને ઘીના ઠામમાં ઘી પડી રહે પણ કર્ણ કંઈ આજના રાજકારણીઓ જેવો પક્ષપલ્ટુ તો હતો નહીં કે જે “વિચારધારા” ની લડાઈમાં લોટાનો આકાર ધારણ કરી લે! જ્યારે સૌએ એને તરછોડયો હતો ત્યારે જેણે હાથ પકડ્યો હતો એ દુર્યોધન પ્રત્યેની નિષ્ઠા કર્ણ ક્યારેય છોડવા તૈયાર નથી. માણસની ઘોર નિષ્ફળતામાં જેણે એનો સાથ નિભાવ્યો ન હોય એને એની સફળતાનો સ્વાદ ચાખવાનો હક હોતો નથી. જો કે, દુર્યોધન અધર્મના માર્ગે છે એ જાણવા છતાં એણે  એનો સાથ આપ્યો એ વાત ભૂલી ન શકાય. જો યુદ્ધ ટાળી શકાતું હોત તોય કદાચ કર્ણ એ ન થવા દેત.

કૃષ્ણથી કુંતી સુધી સૌ કોઈ કર્ણને પાંડવપક્ષે લાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે અન્ય દાવપેચ અજમાવવામાં આવે છે. દેવરાજ ઇન્દ્ર કવચ-કુંડળ દાનમાં માગી જાય છે. એ કર્ણની વીરતા જ ગણાય કે આ કપટ જાણવા છતાં એ દાનધર્મ છોડતો નથી અને ઇન્દ્ર ખુદ લજ્જિત થાય છે.



All is fair in love and war એવું ભલે કહેવાતું હોય પણ કવચ-કુંડળ પ્રસંગ, એકલવ્યનો અંગુઠો, દુર્યોધનની જાંઘ પર ભીમનો ગદાપ્રહાર, “અશ્વત્થામા મરાયો”, ભીષ્મ સામે શિખંડીની લડાઈ…… આટઆટલાં છળકપટ કરવાં પડે પાંડવોને જિતાડવા માટે! અને ખાસ તો ત્યારે જ્યારે સાક્ષાત શ્રીકૃષ્ણ એમની સાથે હોય! એને નીતિ-અનીતિ ના ત્રાજવે ન તોળીએ તો પણ કમ સે કમ એક વાર તો એ ભીષ્મ, કર્ણ, દ્રોણ, એકલવ્ય, દુર્યોધન વગેરેના સામર્થ્યને સલામ કરવાનું મન થાય, થાય અને થાય જ! જો કે સામે કૌરવો પણ કાંઈ દુધે ધોયેલાં નહોતાં. ધૃતરાષ્ટ્રનું “મામકાઃ પાંડવશ્ચેવ” હોય કે પ્રપંચનો પર્યાય શકુનિ હોય, દ્રૌપદીનું વસ્ત્રાહરણ, અશ્વત્થામા દ્વારા પાંડવપુત્રોની હત્યા, ખાંડવવન વગેરે જેવી દુષ્ટતા અને દુરાચારને લીધે તો ભીષણ યુદ્ધની સ્થિતિ આવી ઊભી હતી પરંતુ પાંડવોની સાધનશુદ્ધિનું શું? ખેર, સોનુ પણ 100% શુદ્ધ હોય તો ઘરેણાં બની શકતાં નથી. આ બધા ગ્રે કેરેક્ટર છે એટલે જ તો આટલાં રસપ્રદ છે.

વિવાહ પહેલા માતૃત્વ ધારણ કરવાને લીધે, સમાજની બીકે કુંતીએ જે બાળકનો ત્યાગ કર્યો એ જ બાળક આગળ જતાં એના જ સહોદર પાંડવો વિરુદ્ધ લડવા ઊભો થયો. નિયતિનો અજબ ખેલ! કુંતીનું માતૃહ્રદય એ વિકટ દ્રશ્ય માટે તૈયાર નથી કે જ્યારે તેનો એક પુત્ર યુદ્ધમાં બીજા પુત્રને મારે પણ કર્ણ સમજાવે છે કે........ ના, ના, બધું અહીં કહી ન દેવાય ને! એ માટે તો તમારે રશ્મિરથી વાંચવી જ પડે.

તો..... વાંચશો ને?

P.S. આ ભવ્ય કાવ્યના કેટલાક મંત્રમુગ્ધ કરી દે તેવાં recitation ની youtube link આ સાથે મૂકું છું.

01. પ્રસિદ્ધ અભિનેતા અને હિન્દીના અભ્યાસુ મનોજ બાજપાઈ એ કરેલ કાવ્યપાઠ:-

https://www.youtube.com/watch?v=Cbitu7JXcrM&feature=youtu.be

02. અન્ય એક એટલાં જ પ્રતિભાવાન અભિનેતા આશુતોષ રાણાએ કરેલ કાવ્યપાઠ:-

https://www.youtube.com/watch?v=juwrOKPVj5Y&feature=youtu.be

03. અનુરાગ કશ્યપની (મારી અંગત પ્રિય) ફિલ્મ ગુલાલ માં પિયુષ મિશ્રાએ કરેલ કાવ્યપાઠ નું દ્રશ્ય:- (કાવ્યપાઠ: 6.32 મિનિટ્સથી)

https://www.youtube.com/watch?v=soggJs82lO0

04. અમદાવાદ સ્થિત સુખ્યાત કલાકાર શ્રી ચિંતન પંડ્યા અને તેની ટીમ ફનાટિકા દ્વારા થયેલ રશ્મિરથી ના વાચિકમ (dramatic reading) નો વિડિઓ:-



(આ પ્રસ્તુતિથી જ મને આ સુંદર રચનાનો પરિચય થયેલો, તે માટે ચિંતનભાઈનો હ્રદયપૂર્વક આભારી છું.)

https://www.youtube.com/watch?v=bK9F5cOPZZw


                                             - © ડૉ. જય મહેતા

Sunday, November 22, 2020

Shabdmehfil – a Tiny Treasure of Gems from World Literature


"એકાદી કલાનો સંગ હોય ને, તો તરી જવાય." (શાહબુદ્દીન રાઠોડ સાહેબ)

Ever since I started learning literature from the Day 01 of my FYBA, I have realized that this is the panacea for my life. However, as I grew up and spent more years in the exploration of literature, I realized that I am not the only one who feels so. Especially on the social media, I have come across innumerable people who breath literature and hence I felt that it is my noble duty to do a bit for the dissemination of literary gems. So in 2012, I started this Facebook page called Shabdmehfil. Interestingly, I found it in FB memory today and it makes me realize that I have come a long way since then in pursuing aesthetics. My stay of more than 06 years in Ahmedabad has been a fascinating foray into the arena of aesthetics. I hope you would also enjoy taking a trip to this page and needless to say, please share it with like-minded people because.... sharing is caring!

 

"I shall be brief, for brevity is the soul of wit.”

 


Shabdmehfil – a Tiny Treasure of Gems from World Literature

Dear Academicians,

I feel glad to introduce myself as Jay Mehta – a research scholar at the Department of English, Maharaja Krishnakumarsinhji Bhavnagar University. I am writing this draft to introduce to you all, my academic enterprise – Shabdmehfil.

Life is like a tight rope-walk and one needs a support to sustain equilibrium. For someone it may be sports or cinema or art-forms; for me (and for myriad others) it is LITERATURE. Many a times it so happens that a person is shattered by the devastating circumstances of life, he is on the brink of collapse and just then – a dialogue from a novel or a couplet of ghazal or a statement of an author may revitalize his life-force.

With a lofty intention to disseminate such literary gems, I launched a Facebook page on 27-11-2012. 27th of November is the birthday of Ramesh Parekh – a legendary Gujarati poet. Being an ardent fan of R.P., I dedicated the page to him. Facebook is an outstanding forum for such an edutainment. Shabdmehfil is a tiny treasure of immortal gems from world literature. It is studded with literary works of all genres from Gujarati, Hindi, English and even Urdu literature. There are not just quotes but videos, pictures, links from various sources, sharing, comments, discussions……. – a mehfil (festivity) in real sense! Within a short span, the page has crossed 560 LIKEs! It also serves my purpose to propel reading habit amongst people.


Shabdmehfil contains gems like Hamlet (‘To be or not to be’ etc), Death of a Salesman, The Black Cat, Shakespeare’s sonnets, The Gift of Maggi, Lohi ni Sagaaai, Macbeth, Julius Caesar (Antony’s speech), Ode to a Nightingale, I Find No Peace, Kubla Khan, On His Blindness, Freedom of Heaven, Frankenstein, Brave New World, A Red Red Rose, Kasumbi no Rang, Pippa’s Song, Beet Gai so Baat Gai……

If you are a fan of Ramesh Parekh, Shakespeare, Manto, Oscar Wilde, Nida Fazli, Tagore, Munavvar Rana, Arthur Miller, Gulzar, Nissim Ezekiel, Kamala Das, Mareez, Emily Dickinson, Kalapi, Dushyantkumar, Chandrakant Bakshi, Rajesh Reddy, Jayant Khatri, Amruta Pritam, Chekhov, Poe, Khushwant Singh, Mark Twain, Chetan Bhagat, Pablo Neruda, Hemingway, Nietzche, Befaam…….. Shabdmehfil is undoubtedly for YOU…!!!



565 people from around the globe have joined this carnival (apart from countless others who enjoy it indirectly). So, what are you waiting for?

You can also google with the word ‘Shabdmehfil’ (please spell it right). Here is the link:-

https://www.facebook.com/shabdmehfil

 

In the next phase, I wish to make it more interactive. So please do let me know your impression about my dream child. If you find Shabdmehfil worth visiting, kindly invite your like-minded friends to this confluence of aesthetics. Let literature stretch its arms to embrace us all!

Needless to say – creative, valuable suggestions and constructive criticism are always welcome.

May the Divine be with you forever!

Thanks a lot.

-         Dr. Jay Mehta

 

Tuesday, November 10, 2020

તત્વમસિ – જબ કહીં પે કુછ નહીં ભી નહીં થા, વહી થા, વહી થા!

 


પ્રકૃતિની ગોદમાં ઉછરતાં આ જનોને પ્રકૃતિએ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે. દેશના કોઈપણ ખૂણે જાઓ, આ આનંદના મૂળ જોવા મળવાનાં જ છે. પ્રકૃતિ સાથેનો આ તાદાત્મ્ય-ભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ આનંદને જ આધ્યાત્મિકતા કહેવાતી હશે? જો એવું હોય તો તે, પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઈ ને કોઈ સ્વરૂપે છે. ક્યાંક કોઈ મનુષ્યમાં આ આનંદ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે ત્યારે તે માનવી દેવત્વ લઈને ઊભો થાય છે. કહે છે, અહં બ્રહ્માસ્મિ’. તે પૂજાથી, ધર્મથી, વિધિ-વિધાનથી પર થઈ જાય છે. એ પોતે પણ પ્રકૃતિ જેવો જ નિર્મળ અને શ્રદ્ધેય બની રહે છે. પછી તે નમાજી બને કે ન બને, બંદગી તેને છોડીને જઈ શકતી નથી. અહં બ્રહ્માસ્મિ સમજાવા સાથે જ સમજાય છે કે ખરેખર તો અહં જેવું કંઈ જ અસ્તિત્વમાં જ નથી. જે છે તે બધું જ તત્વમસિ છે.”

તત્વમસિ – તે તું જ છે. કૂન ફાયા કૂન.. સદીઓથી માણસને ઈશ્વરના અસ્તિત્વ અંગે પ્રશ્નો થતાં આવ્યાં છે અને એ પ્રશ્નોના પ્રવાસમાં એને જીવનદર્શનના અનેક મોતીઓ મળતાં આવ્યાં છે. એવું જ એક વિચારમોતી છે – પ્રકૃતિમાં પરમતત્વનું પ્રાગટ્ય. અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્સવર્થ તો કુદરતને જ ઈશ્વરનું સ્વરૂપ ગણતાં. જો કે, આટલું વાંચી એવું ન ધારી લેવું કે આ કોઈ ગહન ફિલસૂફી કે શાસ્ત્રાર્થના પુસ્તકની વાત છે. અઘરી વાતોને પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રસાળ શૈલીમાં સમજાવતા ગુજરાતી નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસિ ની ચર્ચા કરવી છે. આ નવલકથા કોણે વાંચવી જોઈએ? જેને પ્રકૃતિ કે પર્યાવરણ પ્રત્યે નિસ્બત હોય, અધ્યાત્મમાં રસ હોય, નર્મદા પરિક્રમા અંગે ઉત્સુકતા હોય, સાહિત્ય સ્વરૂપ તરીકે નવલકથા ગમતી હોય, માનવીને કે માનવજીવનને, લોકજીવનને સમજવા ઇચ્છતા હોય એમણે..... એટલે કે કોઈપણ ગુજરાતીએ વાંચવી જોઈએ. બાળપણથી જ વિદેશમાં વસેલ એક યુવાનને સંજોગોવશ ભારત આવી નર્મદાકિનારે એક આશ્રમમાં રહેવાનું થાય છે. હાડોહાડ પશ્ચિમી સંસ્કૃતિથી જીવનાર માણસને અચાનક એકદમ અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ્યજીવન જીવવાનું આવે તો એની કેવી દશા થાય! એકાદ સદી પહેલાં કેટલાક બેવકૂફ અંગ્રેજો જેમ ભારતને “જાદુગરો અને મદારીઓનો દેશ” ગણાવતાં એવી જ કોઈ ચીડ એને લોકજીવન અને એની પરંપરાઓ પ્રત્યે થાય, ત્રાસીને ત્યાંથી ભાગી છૂટવાનું મન થાય પણ ઊંડેઊંડે કોઈક અદ્રશ્ય દોર એને એ સ્થળ સાથે બાંધી રાખે – (કચ્ચે ધાગે સે બંધે લોગ ચાલે આતે હૈં). જો કે એ મુશ્કેલીઓમાંથી પણ કંઈક તો શીખવાનું મળે જ છે. પ્રકૃતિનો સમગ્ર કાર્યક્રમ પૂર્વનિર્ધારિત જ હોય છે. એ Divine Design કદાચ શરૂઆતમાં ન સમજાય પણ આગળ જતાં જ્યારે સમજાય ત્યારે અજબ આનંદ અને નિરાંત અનુભવાય અને એ સમજવા માટે પ્રકૃતિના સાન્નિધ્યમાં રહેવું જરૂરી છે. આટલી સરળ વાત જંગલમાં વસતાં આદિવાસીઓ સમજે છે પણ શહેરીજનો એ સમજી શકતાં નથી. એટલે તો ખેતરની જમીનનું NA કરીને ત્યાં વિશાળ હોટેલ બનાવી તેમાં બળદગાડું અને ગાયના ચિત્રો મૂકી ગામઠી ટચ આપે છે! એવાં ટચ ને બદલે પ્રકૃતિનો સ્પર્શ કરવો હોય તો નદીકિનારે રખડવું પડે. દર વર્ષે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની પરિક્રમા કરતાં લાખો લોકોની જેમ. શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ મળે છે, શિવની પુત્રી પણ ગણાય છે એવી નર્મદા નદી વિષે ખૂબ લખાયું છે – શંકરાચાર્યના સ્તોત્રથી લઈને લોકગીતો સુધી. અહીં નર્મદા પરિક્રમા વિષે અમૃતલાલ વેગડનાં ત્રણ પુસ્તકોને પણ યાદ કરવાં પડે.


પરંતુ આ નવલકથામાં એવું શું ખાસ છે? કદાચ બધુ જ. પાત્રો, સંવાદો, કથાનક, પ્રસંગો, વર્ણનો ... ફરીફરીને વાંચવાનું મન થાય. બિત્તુબંગા, પુરીયા, ગંડુ ફકીર જેવા પાત્રો તો મન પર કબ્જો જમાવી લે. ભાવુક વાચકને પાત્રો સાથે પ્રેમ થઈ જાય અને પુસ્તક વાંચતી વખતે તેમજ પૂરું કરતી વખતે આંખો ભીંજાયા વગર રહે જ નહીં. એક જરૂરી આડવાત: - આ નવલકથા પરથી રેવા નામે જે, સુંદર અને હ્રદયસ્પર્શી ફિલ્મ બની છે તે પણ સંવેદનશીલ દર્શકની આંખો આંસુઓથી અને હ્રદય પરમસુખથી તરબતર કરી દે એવી છે. આખી ફિલ્મ ઓનલાઈન અવેલેબલ છે અને ટીવી પર પણ આવી ચૂકી છે. પુસ્તકનાં ફિલ્મ રૂપાંતરણ વિષે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તો ખાસ આ ફિલ્મ વિષે રીસર્ચ કર્યા જેવું છે. આ નવલકથા અને ફિલ્મ રેવા બંને પતે ત્યારે ભાવકની આંખો નીર વહાવે જ એમાં શંકાને સ્થાન નથી.


પુસ્તક નો વિચાર કેટલાંક નાનકડા વાક્યોમાં બખૂબી વ્યક્ત થાય છે. જેમ કે,

“નદી ડૂબાડે કે રક્ષા કરે?” – “એ તો જેવી જેની શ્રદ્ધા, દિકરા!”

“ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલશે, પણ માણસને શ્રદ્ધા હોવી જોઈએ.”

“ફકીર સમઝતે હૈં લોગ મુઝે. મૈં અપને આપસે ધોખા નહિઁ કર સકતા.”

“ઇહાં તો સબ નર્મદા હી હોવે હૈ.”

આ છેલ્લું વાક્ય ફક્ત નર્મદાના અમરકંટકથી સમુદ્ર સુધીના 1200 માઈલના ભૌતિક વ્યાપ માટે જ નથી પરંતુ નદીનું સમગ્ર અસ્તિત્વ સાથેનું તાદત્મ્ય પણ વ્યક્ત કરે છે. નદી જીવનની ભુલભુલામણીમાં સાચી રાહ બતાવે એ વાત હરમન હેસની નવલકથા સિદ્ધાર્થ માં પણ સરસ રીતે સમજાવાઈ છે; એવું  તત્વમસિ વિષે કહી શકાય. આ ઉપરાંત, પ્રકૃતિ વર્ણનો, પાત્રસૃષ્ટિ, જીવનદર્શન વગેરેની વાત પછી ક્યારેક.

- © ડૉ. જય મહેતા

Tuesday, November 3, 2020

ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી: માણસના પુરુષાર્થની વિજયપતાકા લહેરાવતી નવલકથા (ભાગ - 02)

The greatest pleasure in life is doing what people say you cannot do.”

-     Walter Bagehot 

ગયા લેખમાં આપણે હેમિંગ્વેના જીવન વિષે, એમની લેખનશૈલી વિષે તેમજ આ નવલકથા વિષે કેટલીક બાબતો ચર્ચી હતી. હવે આગળ.......

(ફિલ્મજગતની ભાષામાં કહીએ તો “Spoilers ahead” જેવી વાત છે પણ ખરી અને નથી પણ કેમ કે આ નવલકથા નો ઘટનાક્રમ તો એની સપાટી માત્ર છે. દરિયાના ઊંડાણ જેમ કિનારેથી નથી માપી શકાતા, એમ જ આ plot outline થી નવલકથાના હાર્દને પામી ન શકાય. એના માટે તો આ નાનકડી અને સરળ ભાષામાં લખાયેલી કૃતિ વાંચવી જ રહી.)

આમ જુઓ તો આ નવલકથામાં વાત તો એટલી જ છે કે 85 દિવસો સુધી સતત માછીમારીનાં નિષ્ફળ પ્રયત્નોને કારણે તેને ગામલોકો અપશુકનિયાળ ઠરાવે છે. મેનોલીન નામનો એમનો શિષ્ય કહી શકાય એવો એક છોકરો પ્રબળ ઈચ્છા છતાં તેને મળી શકતો નથી કેમ કે એનાં માતાપિતા એને કોઈ સફળ માછીમાર ની સંગત કરવાની સૂચના આપે છે. કોઈ માણસની બાહ્ય સફળતા-નિષ્ફળતા પ્રમાણે એનું મૂલ્યાંકન કરવાની અને ઉગતા સૂરજને પૂજવાની સમાજની તાસીર હોય છે.

લગભગ ત્રણ મહિના સુધી સરિયામ નિષ્ફળ થયેલ માછીમાર જ્યારે સૌથી મોટી માછલી પકડવાનો સંકલ્પ કરે તો સમાજ એને પાગલ જ ઠેરવે ને! જો કે, વિશ્વની મહાનતમ શોધો અને ક્રાંતિકારી પરિવર્તનો એક સમયે પાગલપન લાગતાં વિચારનું સર્જન રહ્યાં છે. બસ, એટલું જરૂરી છે કે વ્યક્તિને પોતાને એ વિચાર પર અડગ ભરોસો હોવો જોઈએ અને તેને અમલમાં મુકવાની ધગશ હોવી જોઈએ.


અન્ય દિવસોની જેમ એ પંચ્યાશીમાં દિવસે પણ સેન્ટિયાગો પોતાની નાવ અને સાધનો લઈને દરિયો ખૂંદવા નિકળી પડે છે. બપોર સુધીમાં એક વિરાટકાય માછલી એના બેઇટ (મોટી માછલી પકડવા માટે જાળમાં વપરાતી નાની માછલીવાળો કાંટો) પકડે છે અને સેન્ટિયાગો સમજી જાય છે કે એ સૌથી મોટી માછલી માર્લિન છે જેનો એણે શિકાર કરવાનો હતો. ખરાખરીનો જંગ જામે છે બંને વચ્ચે. માછલી પોતાનાં જીવન માટે અને માછીમાર પોતાનાં જીવનની સાર્થકતા માટે સતત ઝઝૂમે છે. સળંગ બે દિવસ અને બે રાત સુધી બેમાંથી એકપણ મચક આપતું નથી. આ સંઘર્ષમાં બંને ઘાયલ થાય છે પણ કોઈ હાર માનવા તૈયાર નથી. આખરે સેન્ટિયાગોનું ચટ્ટાન જેવું મનોબળ જીતે છે. એ મહાકાય માર્લિન પર હુમલો કરીને એને મારવામાં સફળ થાય છે. જો કે, આ તબકકે "ખાધું, પીધું, રાજ કીધું" નથી થતું. માછલીના વિરાટ મૃતદેહને કિનારે લાવવાની સફરમાં બીજો એક પડકાર સેન્ટિયાગો સામે મોઢું ફાડીને ઉભો હોય છે. શિકારના સંઘર્ષ દરમ્યાન માર્લિનનું લોહી દરિયામાં વહ્યું હોય છે જેની ગંધથી આકર્ષાઈને એને ખાવા શાર્ક આવી પહોંચે છે. શરૂઆતમાં તો એ કેટલીક શાર્કસને ઘાયલ કરીને ભગાડી દેવા મથે છે પણ પછી આખો કાફલો આવે છે જે માર્લિનનું માંસ ખાવા લાગે છે. એની સામે સાંટિયાગો નિઃસહાય બને છે અને શાર્ક માર્લિનનું માત્ર હાડપિંજર બાકી રહેવા દે છે, જેને લઈને આ વૃદ્ધ માછીમાર ગામ પાછો આવે છે. ગામલોકો એના સાહસ અને શૌર્યને બિરદાવે છે અને તેનો તરુણ શિષ્ય મેનોલિન એની સેવામાં લાગી જાય છે. વાર્તાને અંતે તે પોતાની ઝૂંપડીમાં સૂતો હોય છે અને સિંહો વિશે સપનું જોતો હોય છે. આફ્રિકન સિંહો આ કૃતિમાં વીરત્વના પ્રતિક સ્વરૂપે વારંવાર ઉલ્લેખાયા છે.


વિશ્વસાહિત્યમાં સહાસકથાઓ તો અનેક લખાઈ છે પણ આ નવલકથાની વિશેષતા છે એમાંથી મળતો જિંદગી જીવવાનો ગુરુમંત્ર છે અને એ ગુરુમંત્ર છે:- NEVER GIVE UP.

ચાચા હૅમિંગ્વેએ જે ક્વોટેબલ કવોટ્સ જેવાં વાક્યો મૂક્યાં છે એ તો વાચકોના મનોજગત પર કંડારાઈ ગયાં છે. જેમ કે,

"Man is not made for me for defeat, he said.

Man can be destroyed but not defeated."

અંગ્રેજી સાહિત્યનાં કેટલાંક અમર વિધાનો પૈકીનું એક આ વાક્ય કોઈપણ માણસને કોઈપણ સંજોગોમાં કોઈપણ સ્થળકાળમાં પ્રેરણા આપી જાય એવું છે. માણસને ખતમ કરી શકાય પણ એ પોતે હાર કબૂલે નહીં ત્યાં સુધી એને હરાવી ન જ શકાય. ફાંસીનો ગાળિયો ભગતસિંઘને હરાવી શક્યો? ગોડસેની ગોળી ગાંધીજીને ખતમ  કરી શકી? સોક્રેટિસ કે મીરાંબાઈ ઝેરનાં કટોરાથી પરાસ્ત થયાં? વધસ્તંભથી જીસસ હાર્યા? માત્ર એ સૌનાં પાર્થિવ દેહનો નાશ થયો પણ પોતાનાં વિચારો થકી એ અમરત્વ પામ્યાં.

હવે આ જુઓ:-

"I may not be as strong as I think but I know many tricks and I have resolution."
માણસ ક્યારેક લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિ વચ્ચે ઘડિયાળના લોલકની જેમ ઝોલાં ખાતો હોય છે. સફળતા ગુરુતાગ્રંથિ જન્માવે અને નિષ્ફળતા વ્યક્તિને લઘુતાગ્રંથિની ખીણમાં ગરકાવ કરી મૂકે એવું બની શકે. એ બન્ને અંતિમોની વચ્ચે સમતોલપણુ જળવાઈ રહે એ જરૂરી છે. માત્ર પ્રતિભાશાળી હોવું પૂરતું નથી, સાથે ટેક્નિકસ આવડવી જોઈએ અને સૌથી અગત્યની બાબત છે:- દ્રઢ નિર્ધાર.

આ નવલકથા ની અન્ય એક નોંધનીય બાબત એ છે કે એમાં જીવનમરણની લડાઈ અને સંઘર્ષ હોવા છતાં તેનાં નાયકમાં ક્યાંય ક્રોધ, નફરત, ઈર્ષ્યા, દ્વેષ કે પ્રતિસ્પર્ધાની લાગણી જોવા મળતી નથી. તે માર્લિન (માછલી) ને પણ આદરપૂર્વક સંબોધન કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે કે એણે માછીમાર હોવાનાં નાતે એનો શિકાર કરવો પડે છે.

મધદરિયે એને કોઈ પ્રેરણાના ઝરણાની જરૂર પડતી નથી. એ પોતે જ પોતાને મોટિવેટ કરવા પર્યાપ્ત છે. એ કહે છે, આશા ગુમાવી દેવી એ તો પાપ છે, મુર્ખામી છે. માછીમારીના સંઘર્ષ દરમ્યાન એને હાથમાં ઇજા થાય છે અને થાકી જાય છે ત્યારે વિચારે છે કે સારું છે માણસે સૂર્ય કે ચંદ્રનો શિકાર કરવા જવું પડતું નથી. 'ગ્લાસ અર્ધો ભરેલો છે' વાળી વાત!

સ્વજનની અસાધ્ય બીમારી કે મૃત્યુ, પરીક્ષા કે નોકરીમાં નિષ્ફળતા, રમતગમત કે અન્ય કોઈ ક્ષેત્રે હાર-જીત, પ્રેમીનો વિયોગ કે બ્રેકઅપ..... વિષમતાઓ, મુશ્કેલીઓ તો દરેકની જિંદગીમાં આવતી જ રહેવાની. "THIS TOO SHALL PASS" એ યાદ રાખવું જોઈએ.

પ્રચંડ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને પરમાત્માને પ્રાર્થના - આ ત્રણ આયુધોથી કોઈપણ યુદ્ધ જીતી શકાતું હોય છે, એ આ નવલકથામાંથી શીખવા મળે છે.

કવિ અનિલ ચાવડાનાં શેરથી સમાપન કરીએ:-

"જ્યારથી એ જણ કશાકની શોધમાં છે;

ત્યારથી આખુંયે જગત વિરોધમાં છે."

                                              - © ડૉ. જય મહેતા